Powered by Blogger.

માણસ બનો


ઉનાળાના ધોમધખતા તાપ માં એક મજુર શહેરની ગલીઓમાં તરસતો ભટકતો હતો. ખાસ્સા રઝળપાટ પછી તેને હવેલી ની બહાર એક શેઠ ને ઉભેલા જોયા. શેઠને ઉભેલા જોઇને તેને કાકલુદી ભર્યા સ્વરે કહ્યું "શેઠ, પાણી આપોને ખુબ તરસ લાગી છે."

શેઠે કહ્યું "હમણાં માણસ આવશે એ તને પાણી આપશે."

ઘણીવાર થઇ, માણસ આવ્યો નહિ. મજુર માટે તરસ અસહ્ય બની એણે ફરી શેઠ ને વિનંતી કરી "શેઠ, પાણી આપોને..."

શેઠે ઉગ્ર અવાજે કહ્યું "માણસ આવે એટલે આપશે કહ્યું ને."

મજૂરે ફરી રાહ જોઈ પણ માણસ આવ્યો નહિ મજૂરે ફરી શેઠ ને આજીજી કરી. આ વખતે શેઠ વધુ ઉગ્ર થઈને બોલ્યા "તને ક્યારનો કહું છું તો સમજ નથી પડતી કે માણસ આવશે તે પાણી આપશે"

તરસ થી વ્યાકુળ બનેલા મજુર થી બોલાઈ ગયું "શેઠ થોડીવાર માટે તમે જ માણસ બની જાવને !!! "

મિત્રો, ક્યારેક તમે બીજાની તરસ છીપાવશો તો ભગવાન જરૂરથી તમારી તરસ પણ છીપાવશે...!!!

Join Us "હા-અમે ગુજરાતી"

0 comments:

Post a Comment

મીઠા ટહુકા વાંચો