Powered by Blogger.

"પાણી વાળા કાકાની નિઃસ્વાર્થ સેવા"

આજે મેં એક 70 વર્ષના ઘરડા માણસને મસ્જીદ સ્ટેશને બધાને મફત ઠંડુ પાણી વહેચતા જોયા, હું પણ તરસ્યો હતો એટલે મેં પણ થોડું પાણી પીધું પણ પછી મને વિચાર આવ્યો કે કેમ આ ઘરડો માણસ આ ઉમરમાં આવું કામ કરે છે? અને એની પાસે એક નીલા થેલામાં પાંચ થી છ, બે લીટર વળી ઠંડુ પાણી ભરેલી મોટી બાટલી હતી. 

હું લોકલ ટ્રેન માટે રાહ જોઈ રહ્યો હતો, મારે દાદર તરફ જવું હતું પણ મારી જીજ્ઞાસા ને લીધે મેં એ પાણી વાળા કાકાની પાછળ સી.એસ.ટી. તરફ જતી ટ્રેન પકડી. ટ્રેન માં પણ એ કાકા બધાને ઠંડુ પાણી વહેચતા હતા, એમણે મને પણ ફરી પાણી માટે પૂછ્યું કારણકે હું પરસેવેથી રેબઝેબ થઇ ગયો હતો.

વાતચીત કંઇક આ પ્રકારે થઈ.
પાણી વાળા કાકા: "શર્ટ ઈતના ગીલા ક્યોં હો ગયા?"
હું: "પસીને સે."
પાણી વાળા કાકા: "આરામ સે પાની પીઓ, પેટ ભરકે પાની પીઓ."
મેં થોડું પાણી પીધું ને પૂછ્યું: "આપ રોજ ઐસે સબકો પાની પિલાતે હો?"
પાણી વાળા કાકા: "હાં, રોજ પિલાતા હું."
હું: "કબસે ઐસે રોજ પાની પીલા રહે હો?"
પાણી વાળા કાકા: "બુઢા હો ગયા યે કરતે કરતે."
મેં ફરી એક વાર પૂછ્યું: "હાં મતલબ કબસે પીલા રહે હો?" મારે જાણવાની આતુરતા હતી.
પાણી વાળા કાકા: "યે કોઈ બતાને વાલી બાત થોડી હૈ, મૈને કહાના બુઢા હો ગયા યે કરતે કરતે, 70 સાલકા હું મૈ."
હું: "કહાં રહતે હો?"
પાણી વાળા કાકા: "ઠાકુર્લી."
હું: "મૈ આપકા એક ફોટો લેના ચાહતા હું."
પાણી વાળા કાકા: "નહિ નહિ યે સબ મૈ થોડી કર રહા હું, યે સબ તો ઉપરવાલે કી દુવાસે હો રહા હૈ."
પછી એ અંગ્રેજીમાં બોલ્યા: "આઈ ડીડ નોટ ડુ એની થિંગ, ઇટ્સ બીકોસ ઓફ યુ ધીસ ઇસ હેપનીંગ."
એમણે મને ફોટો પાડવાપણ ન દીધો ને ફરીથી પાણી વહેચવા ના કામ માં લાગીગયા.
"પાનીવાલા !! મોફત કા પાની, ઠંડા પાની લેલો."

હું એટલો આશ્ચર્યમાં હતો કે એમનું નામ પણ પૂછવાનું ભૂલી ગયો. એમનાં ના પાડવા છતાં મેં એમના અમુક ફોટો પાડી લીધા જે આ લેખ માં રજુ કરું છું।

ટ્રેન સી.એસ.ટી. પહોચી એટલે મારી પાછળ ઉભેલા એક પ્રવાસીએ કહ્યું હવે એ કાકા સી.એસ.ટી. થી 9.56 ની ટ્રેનમાં જશે. મેં સી.એસ.ટી. ઉતરી દાદર તરફ જઈ રહેલી બીજી ટ્રેન પકડી.

હું શત શત વંદન કરું છું એ પાણી વાળા કાકાને અને જો તમે પણ આ તરફ આવો અને મુંબઈ લોકલ ટ્રેનમાં મફત ઠંડુ પાણી વહેચતા એ પાણી વાળા કાકાની મુલાકાત થાય તો થોડું પાણી અવશ્ય પીજો જેથી એ કાકા ને ખુશી થશે અને તમને પણ અમૃત પીધાનો અહેસાસ થશે.

ભગવાન ની કૃપા દ્રિષ્ટિ એમના પર વરસે અને દુનિયાની તમામ ખુશી એમને મળે હમણાં નહીતો એમના આવતા જન્મમાં અને એમની બધી મુશ્કેલીનું અંત આવે.



જનસેવા કરવી એ ઈશ્વરનું નામસ્મરણ કરવા બરાબર છે.
સ્વામી શિવાનંદજીએ કહ્યું છે: "નિઃસ્વાર્થ સેવાભાવથી સાચું મનુષ્યત્વ અને હૃદયની વિશાળતા ઓળખાય છે. સતત નિઃસ્વાર્થ સેવા કરો. નિષ્કામ સેવા એ કર્મયોગની ચાવી છે. સેવાથી જ હૃદયની શુદ્ધિ થશે!"

-

ઉપર નો લેખ અમારા એક મિત્ર Kewal Haria એ એમના ફેસબુક માં શેર કરેલું છે.
આ લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર (SHARE) કરજો.

0 comments:

Post a Comment

મીઠા ટહુકા વાંચો